jump to navigation

My Parents May 25, 2008

Posted by dhirushah in : કાવ્ય્ , add a comment

My parents have spent
And done lots for me
And what they said
And what they did
They did for me
For my good

How can I repay them?
What can I do for them?
They enjoyed no life
They worry for my life
I had a life
They had no life

I should give them things
which they had left too long
A drive to the beach
A trip to the mall
A tour on Christmas day
A toast on New Year’s day
Adinner for Mother’s day
A feast for father’s day

મારાં માબાપે

મારાં માબાપે મારા માટે
ઘણું કર્યું, ઘણું સહ્યું
તેમણે જે કાંઇ મને કહ્યું,
તેમણે જે કાંઈ કર્યું
તે બધુંજ મારા માટે
મારા ભલા માટેજ કર્યું
તેમણે મારી ચિંતામાં ને ચિંતામાં
જીવન માણ્યું નહિ
અને જીવન અડધું કરી નાખ્યું
હું તેમને માટે શું કરું?
હું તેનો બદલો કેવી રીતે વાળું?
તેમણે જીવનમાં જે જે ના ભોગવ્યું
અને મારે લીધે જે જે તજ્યું
તે બધુ મારે તેમને આપવું જોઈએ
અને તેમને ચિંતા મુક્ત કરી
મારે તેમના જીવન ને ફરીથી
ચેતનવંતુ કરવું જોઈએ

ક્ષમા February 28, 2008

Posted by dhirushah in : કાવ્ય્ , add a comment

” ક્ષમા વીરસ્ય ભુષણમ્!”
ક્ષમા એ વીર પુરુષોનુ આભુષણ છે
મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે
ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે
અને એ ભુલને ક્ષમા કરવી,
માફી આપવી એ મનુષ્યનો ધર્મ છે
ક્ષમા માંગવાથી અને ક્ષમા આપવાથી
વેરભાવ ઘટે છે અને પ્રેમભાવ વધે છે
અર્થાત તંદુરસ્તી માટેનું એ
એક પ્રબળ પરિબળ બને છે
જે બીજાને માફ કરે છે
તે પોતાને પણ માફ કરે છે
અને ઈશ્વર પણ તેને માફ કરે છે
જે બીજાને માફ  કરતો નથી
તેને ઇશ્વર પણ માફ નથી કરતો

ના ભુલશો

Posted by dhirushah in : કાવ્ય્ , add a comment

શીખો ભલે તમે અંગ્રેજી ભાષા
જે વિશ્વતણી ભાષા
પણ ના ભુલશો માતૃભાષા
જો ભુલશો માતૃભાષા તમારી
તો ભુલશો સંસ્કૃતિ તમારી

કોણ કોરો કરે December 8, 2007

Posted by dhirushah in : કાવ્ય્ , add a comment

જન્મ્યો ત્યારે કોરો હતો
કોરા કાગળ જેવો હતો
અને કોરા થઇને જવું હતું.
પણ ક્યાંથી જઉં?
તન મેલુ છે
મન મેલુ છે
ધન મેલુ છે
કોણ મને કોરો કરે?

જનમ્યો ત્યારે કોરો હતો
કોરા કાગળ જેવો હતો
અને કોરા થઇને જવુ હતું.
પણ ક્યાંથી જઉં?
હાથ પગ અને હૈયું
ખરડાયેલાં છે
કોણ મને કોરો કરે?

જનમ્યો ત્યારે કોરો હતો
કોરા કાગળ જેવો હતો
અને કોરા થઇને જવુ હતું.
પણ ક્યાંથી જઉં?
કર્મ એવા કર્યા છે કે
નદીએ નદીએ ના’વું
મંદિરે મંદિરે જાઉં
તોયે કોરો ના થાઉં.

મહાત્મા ગાંધી- નિર્વાણ દિને

Posted by dhirushah in : કાવ્ય્ , add a comment

ગાંધી તરો જય થ્શે
જરૂર તારો જય થશે
એક દિવસ જરૂર તારો જય થશે
એક દેશે નહીં
એક ખંડે નહીં
નવ ખંડ ધરતીમાં તારો જય થશે

એક દિવસ એવો ઊગશે
કે જગત તારા ગીતડાં ગાશે
તારે પગલે પગલે ચાલશે
અને હિંસા થી થાકેલી આ દુનિયા
અંતે અહિંસાને વરશે
ગાંધી તારો જય થશે
જરૂર તારો જય થશે
એક દિવસ જરૂર તારો જય થાશે

મધુરમ પ્રવર્તે

Posted by dhirushah in : કાવ્ય્ , add a comment

ના અહમ અંતરે
ના હળાહળ ઝેર હૈયે
તો સર્વત્ર જગતે મધુરમ પ્રવર્તે
માનવી જો મધુર વદે
મધુર જુએ, મધુર સૂણે
મધુર ભણે, મધુર ભજે
મધુર વર્તે, મધુર હસે
તો સર્વત્ર જગતે મધુરમ પ્રવર્તે

સાગરેથી ચઢ્યું

Posted by dhirushah in : કાવ્ય્ , add a comment

 સાગરેથી ચઢ્યું
ને આકાશે ભર્યુઁ
આકાશેથી વરસ્યું
ને ધરતી પર પડ્યું
ધરતી પરથી વહ્યું
ને સાગરે ભળ્યું

સાગરેથી ચઢ્યું
ને સાગરે ભળ્યું

અમને સૈનિકોને.. November 13, 2007

Posted by dhirushah in : કાવ્ય્ , add a comment

soldier_bg.jpg 

અમને, યુધ્ધમાં મરેલા સૈનિકોને
ચાંદ કે ઇલ્કાબ આપશો નહિ.
રાષ્ટ્રભાવનાનાં ગીતો ગાજો
પણ રાષ્ટ્રધ્વજો ફરકાવશો નહિ
પરેડ કરાવશો નહિ
બંદુકો ફોડશો નહિ
અને અમે જે લોહિ રેડ્યાં છે
અને શહીદી વહોરી છે
તેને તમે સૌ યોગ્ય બનજો
અને દેશને સદા વફાદાર રહેજો

સ્વાતંત્ર્યદેવી!

Posted by dhirushah in : કાવ્ય્ , add a comment

statue-of-liberty.jpg 

હે! સ્વતંત્રતાની દેવી!
તમારા પગ પાસે બેસીંને
 અમે પ્રાર્થના કરીયે છીયે કે
અમારો દેશ મહાન બને;
કેવળ સંપત્તિમાંજ નહિ
પણ સમાનતામાં,
સ્વતંત્રતામાં અને ભાતૃભાવમાં,
બુધ્ધિમાં અને હ્રદયમાં,
સંસ્કારમાં અને સંસ્કૃતિમાં
ભેદભાવ વિહીન અને વર્ગ વિહીન

ચાલો આપણે સૌ ભેગા મળીને
અજ્ઞાન અને હિઁસાને,
અસ્તેય અને અસ્ત્યને,
ગુનાખોરી અને માદક પદાર્થોને
ધીક્કારીયે અને દૂર કરીયે
અને પ્રભુને પ્રાર્થના કરીયે કે
હે! પ્રભુ! તમે અમને સૌને
તંદુરસ્તી અને સુખાકારી,
પ્રેમ અને શાંતિ અર્પો.

આનંદ

Posted by dhirushah in : કાવ્ય્ , add a comment

આનંદ!
શેનો આનંદ!
કેવો આનંદ!
આનંદ બજારમાં વેચતો મળતો નથી.
ક્યાં શોધવો?

જેમ નાટક કે કથા વાર્તામાંથી આપણે આનંદ મેળવીયે છીયે તેમ આપણા કામ-ધંધામાંથી,વાંચનમાંથી તેમજ્
આપણી આસપાસ નાં વાતાવરણમાંથીઅને દુ:ખમાંથી પણ આનંદ મેળવવા પ્રયત્ન કરવો જોઇએ

આનંદ મેળવવાનો એક ઉપાય એ છે કે દરેક બાબતોને હળવી લેવી,
હળવાશ થી લેવી,
ગંભીરતાથી ના લેવી.

બીજો ઉપાય એ છે કે હસવાની ટેવ પાડવી. હસવાથી વાતાવરણમાં રહેલી ગંભીરતા ઘટે છે અને આનંદ વધે છે.