સબંધો કેવા હોવા જોઇએ? October 27, 2010
Posted by dhirushah in : કાવ્ય્ , add a commentwww.spokanehumanrelations.com/
સબંધો કેવા હોવા જોઇએ?
જમીન અને ઝાડનાં જેવા અને
ટટાર પણ નરમ ઘાસ જેવા_
પવનનાં તોફાનમાં ઉખડે નહીં અને
પાણીનાં પૂરમાં તણાય નહીં તેવા_
સબંધોનાં પણ ઝાડ હોય છે.
કેટલાક ઉગેછે અને પાંગરે છે,
તો કેટલાક કરમાઈ જાય છે.
કેટલાક સબંધો વડ અને આંબા જેવા હોય છે.
કેટલાક સબંધો બાવળ અને કાંટા જેવા હોય છે.
કેટલાક સબંધો મીઠી મધુરી દ્રાક્ષ જેવા નીવડે છે.
તો કેટલાક સબંધો ખાટી દ્રાક્ષ જેવા નીવડે છે.
સબંધોને પણ વસંત અને પાનખર હોય છે.
સબંધોને પણ ભરતી અને ઓટ હોય છે.
સબંધોને પણ પૂનમ અને અમાસ હોય છે.
સબંધોનો આધાર સ્વાર્થ નહીં પણ ત્યાગ હોય છે.
સબંધો બાંધવા સહેલાં છે.
પણ નિભાવવા અઘરા છે.
પહેલા સબંધો હ્રદયે તોળાતા હતા.
આજે ત્રાજવે તોળાય છે.
મોજાંની જેમ જીવનને ગુંથવું પડે છે
Posted by dhirushah in : કાવ્ય્ , add a comment
જેમ મોજાંને ગુંથવા પડે છે
તેમ જીવન ને પણ ગુંથવું પડેછે.
વાતો કરતાં કરતાં અને
હસતાં હસતાં આપણે
મોજાંને ગુંથીયે છીએ
અને અવનવા રંગો પુરીયે છીએ
કોઇ ટાંકા ખોટા હોય છે
કોઇ લાઇનો ખોટી હોયછે
તે ખોલીને પાછાં ફરીથી
ગુંથીયે છીએ, સુધારી લઈએ છીએ
મોજાંની જેમ જીવનમાં પણ
જ્યારે જ્યારે કંઈક ખોટૂં થાય
ત્યારે ત્યારે હસતાં હસતાં સુધારી લેજો
અને જીવનને હર્ષ અને આનંદનાં
રંગો થી ભરી દેજો
માવલડી ગુજરાતને
Posted by dhirushah in : કાવ્ય્ , add a comment
ધન્ય ધન્ય માવલડી ગુજરાતને
ધન્ય ધન્ય મથુરાનાં મોહનને
ધન્ય ધન્ય મેવાડની મીરાને
ધન્ય ધન્ય સહજાનંદ સ્વામીને
જેણે કરી કર્મભૂમી ગુજરાતને
જેણે પાવન કરી ભૂમિ ગુજરાતને.
ધન્ય ધન્ય નરસિંહ મહેતાને
ધન્ય ધન્ય વીર નર્મદને
ધન્ય ધન્ય કવિ પ્રેમાનંદને
ધન્ય ધન્ય કવિ નાનાલાલને
ધન્ય ધન્ય મહાત્મા ગાંધીને
જેણે ધન્ય કરી ભૂમિ ગુજરાતને
ધન્ય ધન્ય માવલડી ગુજરાતને
ધન્ય ધન્ય ભોમકા ગુજરાતને.